❆ IMPORTANT DAYS CELEBRATE FOR SCHOOL INFORMATION ❆
❀ 👉 તમામ માહિતી વર્ષ દરમ્યાન શિક્ષણને અનુલક્ષીને આવતા મહાન વ્યક્તિઓના જન્મ જયંતી. નિર્વાણ દિન.,રાષ્ટ્રીય તહેવારો તેમજ ધાર્મિક તહેવારોને અનુલક્ષીને માહિતી મુકવામાં આવશે...

❆ દિન વિશેષને લગતી માહિતી ❆
❆ ➯ દિન વિશેષને લગતી માહિતી web site Click here
🎯 દિન વિશેષને લગતી માહિતી web site :⤵️ 🎯
❆ ➯ વર્ષ દરમિયાન આવતા 12 મહિનાને અનુલક્ષીને તમામ માહિતી Click here
🎯 આ તમામ માહિતી વર્ષ દરમિયાન આવતા 12 મહિનાને અનુલક્ષીને મુકવામાં આવશે.:⤵️ 🎯
👉 Annual Important Day useful Information Discription Download ➯ ગાંંધી નિર્વાણ દિન જાન્યુઆરી માસ 30 - January Click Here ➯ 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ 14 - January Click Here ➯ રવિશંકર મહારાજની જન્મ જયંતિ ૨૫ ફેબ્રુઆરી દિન વિશેષ 25-february Click Here ➯ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર 14 April Click Here ➯ વીર સ્વાતંત્ર્ય સેનાની તાત્યા ટોપે વિશે માહિતી 18 - April Click Here ➯ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 - June Click Here ➯10 મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ ચાલો જાણીએ એમના વિશે અવનવુ 10 August Click Here ➯ અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35 એ. જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક ૨૦૧૯ August Click Here ➯ શિક્ષક દિન” Dr. સર્વપલ્લી રાધાકૃષ્ણન 5 september Teacher day Click Here ➯ શિક્ષક દિનનું મહત્વ અને શાળામાં વક્તવ્ય સ્પીચ Pdf ફાઇલ 5 september Teacher day Click Here ➯ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતી 2 october Click Here ➯ સ્ટેચ્યૂ ઓફ યુનિટી Statue of Unity October Click Here ➯મોહન, મિસ્ટર ગાંધી, બાપુ, મહાત્મા અને રાષ્ટ્રપિતા...કેવી રીતે-ક્યારે મળ્યાં નામ- October Click Here ➯ ભારતીય સવિધાન દિવસ 26 નવેમ્બર 1949 (26 November 1949) Click Here ➯ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ - December Click Here ➯ 5 September Teacher Day (સપ્ટે - ડૉ. રાધાકૃષ્ણન્ ) Information PDF Click Here ➯ સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર 12 January Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ Educational useful Important day Part - 2 Click here
🎯 દિન વિશેષને લગતી માહિતી :⤵️ 🎯
👉 Educational useful Important day Discription Download ➯ world Lion day 10 August use slogan Click Here ➯ wel_come2 Click Here ➯ wel_come3 Click Here
❆ ➯ More Important day Writing data Click here
🎯 વર્ષ દરમિયાન આવતા 12 મહિનાને અનુલક્ષીને માહિતી :⤵️ 🎯
👉 Important day Discription : ➯ માતૃ ભાષા day 21 February : ❀ માતૃભાષા મારી દ્રષ્ટિએ- - ➯ International Mother Language Day 21 February વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ દુનિયાભરમાં પોતાની ભાષા-સંસ્કૃતિ (Language Culture) પ્રત્યે લોકોમાં જાગરુકતા ફેલાવવાનો છે. વર્ષ 1999માં માતૃભાષા દિવસ મનાવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2000માં પહેલી વખત આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો. ❀ આ દિવસનો ઇતિહાસ (INTERNATIONAL MOTHER LANGUAGE DAY: HISTORY) ➯ વર્ષ 1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માતૃભાષાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે 21 ફેબ્રુઆરીએ એક આંદોલન કરવામાં આવ્યું હતું. તેમાં શહીદ થયેલા યુવાનોની સ્મૃતિમાં જ યુનેસ્કોએ પહેલી વખત વર્ષ 1999માં 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. આ દિવસને પહેલી વખત વર્ષ 2000માં ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો. ________________________________________________________ ➯ માતૃભાષા એટલે માતા પાસે નાનપણથી શિખવવામાં આવેલ કે બોલતા શીખ્યા ઈ માતૃભાષા છે. • આપણી માતૃભાષા ગુજરાતી છે ગુજરાતી ભાષાની વાત કરીએ તો 700 વષઁથી ગુજરાતી ભાષા બોલાય છે. • સાળા પાંચ કરોડ થી વધુ લોકો ગુજરાતી બોલે છે. • ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષામાં 6 ક્રમે ગુજરાતી ભાષા છે. • વિશ્વવ આખામાં સૌથી વધુ બોલાતી ભાષા માં 26 ક્રમે ગુજરાતી ભાષા છે. • મજાની વાત એ છે કે જ્યાંથી ઈંગ્લીશ આવું એ ગ્રેડ બ્રિટન ના કેપિટલ લંડનમાં સૌથી વધારે બોલાતી અને પ્રચલિત ભાષા માં 4 ક્રમે ગુજરાતી ભાષા છે. • આપણી ગુજરાતી પાસે 40000 (ચાલીસ હજાર) શબ્દો છે. • મરાઠી ભાષા 48000 (અળત્તાલીશ હજાર ) શબ્દો છે. • આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી 72000 (બો-ત્તેર હજાર) શબ્દો છે. • આપણા સંસ્કૃત શબ્દો ની વાત કરીએ 150,000( દોઢ લાખ) થી વધારે શબ્દો છે. • આપણી સૌથી જુની ભાષા પ્રાકૃત ભાષા (અઢી લાખ/ 3લાખ) શબ્દો છે. • અંગ્રેજી પ્રેમીઓ ને કહીદવ અંગ્રેજી ભાષામાં કુલ મળીને શબ્દો 12000( બાર હજાર) શબ્દો છે ✴ એની સાબિતી આપું છું. અંગ્રેજીમાં આપણે બોલીએ "આન્ટી" હવે આન્ટી એટલે કોણ. સંબંધ શું છે ઈ આપણને ખબર ના પડે. હવે આપણી ગુજરાતી ભાષા નો વૈભવ જોવ.- "માસી" ક્યો એટલે ખબર પડે "માં" ની બેન જ હોય. "ફંઈબા" ક્યો એટલે ખબર પડે ભાઈ ની "બેન" જ હોય. આટલું ગુજરાતી ભાષામાં સ્પષ્ટીકરણ છે. ✴ કેટલાય શબ્દો નું અંગ્રેજી જ નથી. દાખલા તરીકે- ઢીચણીયુ, ઘમરીયું, સામેબેલું, મસોતુ, મામેરૂ, વેવાઈ ને વેવાણ, વેઢલા સાઢું, જોતર ડામચીયો. એક જણાએ મને પૂછેલું 'સાઢું' એટલે શું મે કીધું સમ દુઃખીયો. • "આધણા" ને અંગ્રેજીમાં "બ્લાઈન્ડ" કહેવાય- પણ "પ્રજ્ઞા ચંક્ષુ" નુ અંગ્રેજી ? • "વિધવા" નું અંગ્રેજી "વિડો" કહેવાય પણ "ગંગાસ્વરૂપ" નુ અંગ્રેજી ? "માં" ને ગંગા સ્વરૂપ કહેવાય તો પિતાજી ને ધોધ સ્વરૂપ નો કહેવાય. • બંગળી ટુટવાનું અંગ્રેજી થશે બંગળી નંદવાણી નું અંગ્રેજી ? • આપણે કોઈ સાથે માથાકૂટ થાય તો આપણને ગુજરાતી મા જે શબ્દ ભંડોળ મળે ઈ જે બટાજટી બોલે ઈ અંગ્રેજી ના બોલે. ❇ "પુરુષ નામ મા ભાઈ આવે, સ્ત્રીના નામ મા બેન. માન આપીએ સૌને અમે, છે એવાં અમારા વેણ. રવિ- રવી ના અને દિન- દીન ના અથઁ જુદા છે. લાગણીશીલ ભાષા છે, અમારે દરેક શબ્દોના ભાવાર્થ જુદા છે. આંસુ-આશું? મા ફરક રાખીએ દરેક વાતના બે મતલબ નિકળે. મૂડ અમારો હોય એવા અમારા શબ્દો નીકળે, રડતા રડતા ખુશીની વાતો, હસતા મોઢે ગવાય તમાશા. સૌથી અલગ એ તરી આવે છે ગુજરાતી ભાષા”. • વિશ્વનું વિજ્ઞાન સ્વીકારે છે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા ને પકડી રાખે તે વ્યક્તિ વિચાર શક્તિમાં મહાન બને છે. ✴માતૃભાષા માં રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલી 1910 માં લખીને 1912માં એનું ટ્રાન્સલેન્ટ થયુ ને નોબેલ પારિતોષિક એવોર્ડ મળો. • અથઁ શાસ્ત્ર ના નોબેલ પારિતોષિક મેળવનાર અમથઁ સેન પણ માતૃભાષામાં ભણા. • વિજ્ઞાનમાં પારિતોષિક મેળવનાર સી.વી.રામન માતૃભાષામાં ભણા. • એ.પી.જે અબ્દુલ કલામ, બાબા સાહેબ આંબેડકર, કલ્પના ચાવલા, અને ગાધીજી આ બધા માતૃભાષા ની ભેટ છે, આ બધા થી આપણે કે આપણા બાળકો આથી આગળ નય વધે. ✴ સ્વામી વિવેકાનંદ નું એક વાક્ય છે " તમે સ્કોટલેન્ડની વાઈન પીવા ઈચ્છો છો તો પીવો ઈ પહેલા ત્યાંના પીતા શીખવો. ✴ દુનિયા બદલાવનાર જેટલાં પણ ગ્રંથો છે એમાંથી એકપણ ગ્રંથ અંગ્રેજી માં નથી લખાણા, ગુગલમાં સચઁ કરી લેવાની છુટ. ✴ આખાં વિશ્વમાં 10 થી 12 દેશ છે જેની ભાષા અંગ્રેજી છે. આખી દુનિયામાં સૌથી વધારે ચાઈનીઝ ભાષા બોલાય છે. આપણા વેંદ શાસ્ત્રો સંસ્કૃતમાં લખાણા છે જેને દુનિયા બદલી નાખી. હવે લખાતો હશે કદાચ ત્યા તો આ દુનિયા બદલી ગય છે. ✴ આખી દુનિયા કપડાં પહેરતા ને જીવતા શીખવનાર ભારત છે.આપણી પાસે ભાષા હતી અક્ષર જ્ઞાન હતું ઈતિહાસ તપાસો. "આપણી ધરતી ની આપણી સંસ્કૃતિ ની વાતો"________________________________________________________ ➯ National Language Hindi Day 14 September ➯ हिन्दी दिवस हिन्दी दिवस प्रत्येक वर्ष 14 सितम्बर को मनाया जाता है। 14 सितम्बर 1949 को संविधान सभा ने यह निर्णय लिया कि हिन्दी भी केन्द्र सरकार की आधिकारिक भाषा होगी। क्योंकि भारत मे अधिकतर क्षेत्रों में ज्यादातर हिन्दी भाषा बोली जाती थी इसलिए हिन्दी को राष्ट्रभाषा बनाने का निर्णय लिया और इसी निर्णय के महत्व को प्रतिपादित करने तथा हिन्दी को प्रत्येक क्षेत्र में प्रसारित करने के लिये वर्ष 1953 से पूरे भारत में 14 सितम्बर को प्रतिवर्ष हिन्दी-दिवस के रूप में मनाया जाता है। स्वतन्त्रता प्राप्ति के बाद हिन्दी को आधिकारिक भाषा के रूप में स्थापित करवाने के लिए काका कालेलकर, हजारीप्रसाद द्विवेदी, सेठ गोविन्ददास आदि साहित्यकारों को साथ लेकर व्यौहार राजेन्द्र सिंह ने अथक प्रयास किये। मुख्य लेख: हिन्दी दिवस का इतिहास वर्ष 1918 में गांधी जी ने हिन्दी साहित्य सम्मेलन में हिन्दी भाषा को राष्ट्रभाषा बनाने को कहा था। इसे गांधी जी ने जनमानस की भाषा भी कहा था। वर्ष 1949 में स्वतंत्र भारत की राष्ट्रभाषा के प्रश्न पर 14 सितम्बर 1949 को काफी विचार-विमर्श के बाद यह निर्णय लिया गया जो भारतीय संविधान के भाग 17 के अध्याय की अनुच्छेद 343 (1) में इस प्रकार वर्णित है. संघ की राष्ट्रभाषा हिन्दी और लिपि देवनागरी होगी। संघ के राजकीय प्रयोजनों के लिए प्रयोग होने वाले अंकों का रूप अन्तरराष्ट्रीय रूप होगा। यह निर्णय 14 सितम्बर को लिया गया, इसी दिन हिन्दी के मूर्धन्य साहित्यकार व्यौहार राजेन्द्र सिंहा का 50वाँ जन्मदिन था, इस कारण हिन्दी दिवस के लिए इस दिन को श्रेष्ठ माना गया था। हालांकि जब राष्ट्रभाषा के रूप में इसे चुना गया और लागू किया गया तो अ-हिन्दी भाषी राज्य के लोग इसका विरोध करने लगे और अंग्रेजी को भी राजभाषा का दर्जा देना पड़ा। इस कारण हिन्दी में भी अंग्रेजी भाषा का प्रभाव पड़ने लगा। कार्यक्रम संपादित करें हिन्दी दिवस के दौरान कई कार्यक्रम होते हैं। इस दिन छात्र-छात्राओं को हिन्दी के प्रति सम्मान और दैनिक व्यवहार में हिन्दी के उपयोग करने आदि की शिक्षा दी जाती है। जिसमें हिन्दी निबन्ध लेखन, वाद-विवाद हिन्दी टंकण प्रतियोगिता आदि होता है। हिन्दी दिवस पर हिन्दी के प्रति लोगों को प्रेरित करने हेतु भाषा सम्मान की शुरुआत की गई है। यह सम्मान प्रतिवर्ष देश के ऐसे व्यक्तित्व को दिया जाएगा जिसने जन-जन में हिन्दी भाषा के प्रयोग एवं उत्थान के लिए विशेष योगदान दिया है। इसके लिए सम्मान स्वरूप एक लाख एक हजार रुपये दिये जाते हैं। हिन्दी में निबन्ध लेखन प्रतियोगिता के द्वारा कई जगह पर हिन्दी भाषा के विकास और विस्तार हेतु कई सुझाव भी प्राप्त किए जाते हैं। लेकिन अगले दिन सभी हिन्दी भाषा को भूल जाते हैं।हिन्दी भाषा को कुछ और दिन याद रखें इस कारण राष्ट्रभाषा सप्ताह का भी आयोजन होता है। जिससे यह कम से कम वर्ष में एक सप्ताह के लिए तो रहती ही है। उद्देश्य इसका मुख्य उद्देश्य वर्ष में एक दिन इस बात से लोगों को रूबरू कराना है कि जब तक वे हिन्दी का उपयोग पूरी तरह से नहीं करेंगे तब तक हिन्दी भाषा का विकास नहीं हो सकता है। इस एक दिन सभी सरकारी कार्यालयों में अंग्रेजी के स्थान पर हिन्दी का उपयोग करने की सलाह दी जाती है। इसके अलावा जो वर्ष भर हिन्दी में अच्छे विकास कार्य करता है और अपने कार्य में हिन्दी का अच्छी तरह से उपयोग करता है, उसे पुरस्कार द्वारा सम्मानित किया जाता है। कई लोग अपने सामान्य बोलचाल में भी अंग्रेज़ी भाषा के शब्दों का या अंग्रेजी का उपयोग करते हैं, जिससे धीरे धीरे हिन्दी के अस्तित्व को खतरा पहुँच रहा है। जिस तरह से टेलीविजन से लेकर विद्यालयों तक और सोशल मीडिया से लेकर निजी तकनीकी संस्थानों एवं निजी दफ्तरों तक में अंग्रेजी का दबदबा कायम है । उससे लगता है कि अपनी मातृभाषा हिन्दी धीरे–धीरे कम और फिर दशकों बाद विलुप्त ना हो जाये। यदि शीघ्र ही हम छोटे–छोटे प्रयासों द्वारा अपनी मातृभाषा हिन्दी को अपने जीवन में एक अनिवार्य स्थान नहीं देंगे तो यह दूसरी भाषाओं से हो रही स्पर्धा में बहुत पीछे रह जायेगी । यहाँ तक कि वाराणसी में स्थित दुनिया में सबसे बड़ी हिन्दी संस्था आज बहुत ही खस्ता हाल में है। इस कारण इस दिन उन सभी से निवेदन किया जाता है कि वे अपने बोलचाल की भाषा में भी हिन्दी का ही उपयोग करें। इसके अलावा लोगों को अपने विचार आदि को हिन्दी में लिखने भी कहा जाता है। चूँकि हिन्दी भाषा में लिखने हेतु बहुत कम उपकरण के बारे में ही लोगों को पता है, इस कारण इस दिन हिन्दी भाषा में लिखने, जाँच करने और शब्दकोश के बारे में जानकारी दी जाती है। हिन्दी भाषा के विकास के लिए कुछ लोगों के द्वारा कार्य करने से कोई खास लाभ नहीं होगा। इसके लिए सभी को एक जुट होकर हिन्दी के विकास को नए आयाम तक पहुँचाना होगा। हिन्दी भाषा के विकास और विलुप्त होने से बचाने के लिए यह अनिवार्य है। Mahatma Gandhi History ❆ વિશ્વપુરૂષ ગાંધીજી ❆ ➯ ઘટના ક્રમ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ : પોરબંદરમાં ગાંધીજીનો જન્મ ૧૮૮૧ : કસ્તુરબા સાથે વિવાહ નવેમ્બર ૧૮૮૭ : મેટ્રિક પાસ કર્યું. ઓક્ટોબર, ૧૮૮૮ : વકીલાત ભણવા માટે ઇંગ્લેડ પહોંચ્યા. જૂન, ૧૮૯૧ : બેરિસ્ટર બન્યા ભારત આવ્યા. એપ્રિલ, ૧૮૯૩ : દક્ષિણ આફ્રિકા રવાના થયા. ૧૮૯૬ અને ૧૯૦૧ : ભારત આવ્યા. ૧૯૦૧ : રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પ્રથમ વાર જોડાયા. ૧૯૦૩ : “ઈડીયન ઓપીનીયન’નું કામ સંભાવ્યું. ૧૮૯૯ : બોઅર યુદ્ધ તથા ૧૯૦૬માં જુલું વિદ્રોહના સમયે ભારતીય સેવા દળના સંગઠન અને નેતૃત્વ કર્યું. ૧૯૦૬ :બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું ૧૯૦૬ અને ૧૯૦૯ : ઈંગ્લેડ ગયા. ૧૯૦૮ : દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર કેદ ૧૯૧૦ : ટાલટાય બાડીની સ્થાપના ૧૯૧૩ : દક્ષિણ આફ્રિકામાં ઐતિહાસિક સત્યાગ્રહનું નેતૃત્વ ૧૯૧૩ : દક્ષિણ આફ્રિકા છોડીને જાન્યુ. ૧૯૧૫માં ભારત પહોંચ્યા. ૧૯૧૫ : સાબરમતી આશ્રમ, ૧૯૩૩ : માં વર્ધા આશ્રમ અને ૧૯૩૬માં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી. ૧૯૧૭ :ચંપારણ સત્યાગ્રહ શરૂ કર્યો. ૧૯૧૮ :ખેડામાં પ્રથમ કર-બંધી આંદોલન. ૧૯૧૯ :અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ ૧૯૧૯ :યંગ ઇંડિયા’ અને ‘નવજીવન’નું પ્રકાશન. ૧૯૨૧ : અસહયોગ આંદોલન શરૂ કર્યું. ૧૯૨૨ : ભારતમાં પહેલી વાર કેદ થયા. ૧૯૨૭ : ખાદી પ્રચાર માટે પ્રચાર કર્યો. ૧૯૩૦ : દાંડી યાત્રા અને મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું. ૧૯૩૧ : લંડનમાં ગોળમેજી સંમેલનમાં ભાગ લીધો અને યુરોપની યાત્રા કરી. ૧૯૩૩ : હરિજનોના અમુક દેશોનો પ્રવાસ કર્યો. ૧૯૩૩ : સાપ્તાહિક “હરિજન” આરંભ ૧૯૩૭ : નઈ તાલીમનો પ્રારંભ કર્યો. ૧૯૪૨ : ભારત છોડો આંદોલન ચલાવ્યું . ૧૯૪૨ થી ૧૯૪૪ સુધી : આગા ખા મહલમાં છેલ્લી કેદ કાપી ૧૯૪૮, ૩૦ જાન્યુઆરી : મહાપ્રયાણ વિચાર કરવાની કળા એટલે જ ખરી કેળવણી. ➯ 10 August World Lion day (સિંહ વિશે માહિતી) : ગીરનો સાવજ એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે. એશિયાઇ સિંહ : એશિયાઇ સિંહ સ્થાનિક નામ સિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર અંગ્રેજી નામ ASIATIC LION વૈજ્ઞાનિક નામ Panthera leo persica આયુષ્ય ૧૫ થી ૧૮ વર્ષ લંબાઇ માથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર), ૨૮૯ સેમી.(માદા) ઉંચાઇ ૧૦૫ સેમી. વજન ૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા) સંવનનકાળ ઓક્ટોબર થી ડીસેમ્બર ગર્ભકાળ ૧૦૫ થી ૧૧૦ દિવસ પુખ્તતા ૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા) દેખાવ શરીર રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે, પાછળનો શરીરનો ભાગ પાતળો., જાડી લાંબી પુંછડી, નાના કાન., નર સિંહને ગળામાં કેશવાળી હોય છે. ખોરાક સામાન્ય રીતે પ્રતિદિન ૬ થી ૮ કિલોગ્રામ, ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચોશીંગા, ચિંકારા, ભેંશ, ગાય વગેરે. વ્યાપ ફક્ત ગીરનાં જંગલમાં. રહેણાંક સુકુ ઝાંખરા યુક્ત જંગલ, કાંટા વાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ. ઉપસ્થિતિ ના ચિન્હો : પગલાં, મારણ, ગર્જના. ગુજરાતમાં વસ્તી : ૩૫૯ (૨૦૦૫), ૪૧૧ (૨૦૧૦), ૫૨૩ (૨૦૧૫) આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે. વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલ છે. સિંહ હુમલો ક્યારે કરે? સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતો નથી એ સિંહ નો સ્વભાવ પણ નથી, પરંતુ સિંહ ની આ ખાનદાની ને મનુષ્ય સિંહ ની કાયરત સમજવા માંડ્યા... ગુજરાતના ગીર વિસ્તારમાં ભાગ્યેજ સિંહના હુમલાની ઘટના બની છે. ફોટો લેનારા એક પ્રવાસી પર 2012માં સિંહે હુમલો કરીને જીવ લીધો હતો. સિંહ ને ખીજવો તો જ એ હુમલો કરતો હોય છે. નહિતર મનુષ્ય પર ભાગ્યેજ કોઈ ઘટના માં હુમલો કરેલો જોવા મળે છે. સિંહને કોઈએ છંછેડ્યો હોય ત્યારે તે માણસ પર હુમલો કરે છે. જો કોઈ સિંહ ભૂખ્યા હોય અને ગુસ્સામાં હોય તેવા સંજોગોમાં હુમલો કરી શકે. સારવાર માટે આપેલી દવાઓના કારણે પણ સિંહ ગુસ્સામાં હુમલો કરી શકે. સિંહે મારણ કર્યું હોય ત્યારે કે તે મેટિંગ ટાઈમ મા હોય ત્યારે તેની નજીક જનારા પર સિંહ હુમલો કરે તેવી શક્યતા છે... જૂનાગઢઃ સાસણગીરના દેવળીયા પાર્કમાં સિંહે વનકર્મીઓ પર હુમલો કર્યો હતો. 3 વનકર્મીઓ પર સિંહે હુમલો કરતા એક વનકર્મીનું મોત થયું હતું જ્યારે 2 વનકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સામાન્ય રીતે સિંહ કોઈ માણસ પર હુમલો કરતો નથી. અસામાન્ય સંજોગોમાં જ સિંહ હુમલો કરે છે. ગીરના સાવજ ની શૌર્યગાથા : ગીરનો એક સિંહ રોજનું નવ કીલો માંસ આરોગે છે શિકારની જવાબદારી મોટેભાગે સિંહણ માથે હોય છે... પુખ્તસિંહને દરરોજ ૬થી ૯ કિલોગ્રામ ખોરાકની જરૂર પડે છે. સિંહ-સિંહણ તેના બચ્ચાની સાથે રહે છે. સિંહના ટોળા ન હોય તે કહેવત બરાબર નથી. સિંહ પરિવાર પ્રેમી છે. ૧૨થી ૧૫ સિંહો એકીસાથે રહેતા હોવાનું પણ જણાયું છે. બે સિંહ સાથે તોય બેલાડ કહેવાય છે. એકલો સિંહ બહુ ઓછો જોવા મળે છે એકવાર શિકાર કર્યા પછી ૨૪ કલાક સુધી સિંહ શિકાર કરતો નથી. જો કે બીજી વિશેષતા એ છે કે, સામાન્ય રીતે સિંહ શિકાર કરતો નથી પરંતુ સિંહણ જ મારણ કરીને પોતાના પરિવારનું પેટ ભરતી હોય છે. શિકાર કર્યા પછી તેના પરિવાર સાથે તે મિજબાની માણે છે. ભોજન સમયે સિંહ કોઈની દખલઅંદાજી ચલાવી લેતો નથી. તેવું જ સંવનન (મેટિંગ) સમયે પણ હોય છે. શાંતિથી તે આ બંને ક્રિયાઓ કરવામાં માને છે. સોરઠનું ગીર અભયારણ્ય બે સદી પહેલા સિંહોની વસતીથી ઉભરાતું હતું પરંતુ રાજા- મહારાજાઓ અને ત્યારબાદ મોગલો તથા અંગ્રેજોના શાસનમાં સિંહોના શિકારનો શોખ એટલી હદે વધી ગયો કે સન ૧૮૮૦માં માત્ર ૧૨ જ સિંહ બચ્યા હતા. સિંહોના અસ્તિત્વ સામે જ સવાલ ઊભો થતા આખરે જૂનાગઢના નવાબી શાસને સન ૧૮૮૦માં પહેલીવાર સિંહોના શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જૂનાગઢ સ્ટેટ દ્વારા સન ૧૮૮૦ ના રોજ પ્રસિદ્ધ કરાયા બાદ તા ૧૧-૪-૧૮૯૬ના રોજ, જૂનાગઢના દિવાન બેચરદાસ વિહારીદાસ દેસાઈએ નવો શિકાર ધારો બહાર પાડ્યો ત્યારબાદ જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજાએ તા ૧૯-૯-૧૯૨૫ ના રોજ તમામ પ્રકારના પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો આ પછી સિંહોની વસ્તી વધવા લાગી હતી. અને હજુ વધતી જાય છે... સિંહોની દુનિયામાં ડોકિયું: તમે પણ નહીં જાણતા હો આ અજાણી વાત... સિંહનું નામ સાંભળતા જ એક અનેરો રોમાંચ સૌ કોઈ અનુભવે છે. સદીઓથી સિંહ, માનવીઓ સાથે વણાયેલો છે. ભારતમાં તો વેદકાલીન યુગમાં પણ સિંહની વાતો વાચવા મળે છે. દુનિયામાં હાલ બે જ જગ્યાએ સિંહો વસે છે. તેમાં એક છે આફ્રિકાનું જંગલ અને બીજું આપણા દેશના ગુજરાત નું ગીર જંગલ. આફ્રિકાનો સિંહ લિયો તરીકે ઓળખાય છે. જયારે ગીરના સિંહ, પેન્થેરા લિયો પર્સિકા તરીકે ઓળખાય છે. આફ્રીકા અને ગીરના સિંહોની તુલનામાં આફ્રિકન સિંહ મોટા માથાવાળો, ખુંખાર, હિંસક અને આક્રમક હોય છે. જયારે ગીરનો સિંહ, દેખાવે અને સ્વભાવે સૌમ્ય, જોવો ગમે તેવો આકર્ષક, અકારણ ન ક્રોધિત થાય તેવો, પેટ ભરેલું હોય તો મારણ ન કરે અને માનવી ઉપર ભાગ્યે જ હુમલો કરે તેવી મનોવૃત્તિ વાળો છે. સમગ્ર એશિયા ખંડમાં એક માત્ર ગીરના જંગલમાં જ એશિયાઈ કુળ ના સિંહો વસે છે. ઉપરોક્ત માહિતી સિવાય કેયુર ભાઈ વ્યાસ એ કરેલ અભ્યાસ અને બીજા અવલોકનોને આધારે થોડી વિશેષ માહિતીનો ઉમેરો કરવા માગીશ. : -> ગરમ લોહી ધરાવતું પ્રાણી છે, શિયાળો વધુ ગમતી ઋતુ છે -> નિશાચર પ્રાણી છે. મોટાભાગે સિંહ રાત્રિ સમયમાં અવર જવર કરે છે. એક રાત માં ઘણું બધું અંતર કાપી નાખે છે.દિવસ નો સમય આરામ કરવામાં વિતાવે છે. -> આંખો દિવસ આરામ કર્યા પછી સાંજે પાણી પીધા બાદ શિકાર ની શોધ માં નીકળે છે. મોટાભાગે હંમેશા સિંહણ શિકાર કરે છે અને શિકાર ની મિજબાની માણ્યા બાદ સવારે પાણી પીધા પછી આખો દિવસ આરામ કરવામાં વિતાવે છે. -> આમ તો પોતે વિચરતું પ્રાણી છે, પરંતુ પોતાનો વિસ્તાર જાતે નક્કી કરે છે મોટા વૃક્ષો ઉપર પોતાના પંજા ના નખના નિશાન બનાવીને અને પોતાના પેશાબના ગંધ છોડીને એ જે તે વિસ્તાર પોતાનો છે એવું સાબિત કરવા માટે. -> પૂરતો હવા ઉજાસ ને પવન મળે, મચ્છર ના કરડે એવી ખુલી જગ્યા અથવા નાની નાની ટેકરીઓની ટોચ ઉપર આરામ કરવાનું વધુ પસંદ છે. -> રસ્તો, કેડી, પગદંડી, એટલે કે સામન્ય રીતે ચાલી સકાય ત્યાં જ પોતે ચાલવાનું પસંદ કરે છે, ઝાડી ઝાંખરા , કાંટાળી કેડી અસ્ત વ્યસ્ત જગ્યા પર ચાલવાનું ઓછું પસંદ કરે છે -> ઊંડાણ વાળા પાણીથી દુર રેહવાનું વધુ પસંદ કરે છે. અતિ આવશ્યક પરિસ્થિતિ સિવાય પાણીમાં જવાનું ટાળે છે. -> ઉદાહરણ તરીકે કૂવા માં પડશે તો પોતાની પૂરતી શક્તિ નો ઉપયોગ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરવામાં ડૂબી જશે. એ જ જગ્યાએ જો દીપડો હસે તો કૂવામાં લટકતી કોઈ પણ વસ્તુ માં સહારે એને પકડી ને ટકી રેહસે ખાલી ખોટ પાણીમાં તરફડીયા નહિ મારે. -> એકદમ શાંત સ્વભાવ અને પોતાની મોજ માં રહેવાનું વધુ પસંદ કરે છે બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુની નોંધ લેવી અને પસંદ નથી અને એના કુદરતી વસવાટ માં દખલ એને પસંદ નથી. -> સિંહની ઉંમર એના મોઢામાં રહેલા આગલા તીક્ષ્ણ દાંત ઉપરથી નક્કી કરવામાં આવે છે ૨૦૧૦ માં તેની ગણતરી સમયે તેની સંખ્યા ૪૧૧ ની નોંધાયેલી આ વખતે તેની સંખ્યા ૬૦૦ આસપાસ હશે તેવું સિંહ-જીવનના અભ્યાસીઓનું કહેવું છે. આફ્રિકાના સિહોની સંખ્યામાં પાંચ આકડામાં છે. વળી ત્યાના જંગલનો વિસ્તાર ખુબ જ મોટો છે. જયારે ગીરનું જંગલ ૧૪૧૨ ચોરસ કિ.મિ. માં ફેલાયેલું છે જે ૨૦ મી સદીની શરૂઆતમાં ૫૦૦૦ ચોરસ કિ.મી. સુધી ફેલાયેલું હતું. ગીરના સિંહની અનેક ખાસિયતોમાં એક નોંધવા લાયક બાબત છે કે, એક જ માતા-પિતાના સંતાનો અર્થાત તેના નર અને માદા બચ્યા ક્યારેય સંભોગ અર્થાત મેટિંગ કરતા નથી. આમ સાચા અર્થમાં તેઓ ભાઈ-બહેનનો સંબંધ નિભાવે છે. રમેશભાઈ રાવળ એ નોંધેલી વાતોની માહિતી પણ અહીં હું રજૂ કરું છું. શક્તિપુંજ સમ દેહ ભયો, ભયો શૌર્ય માર્તંડ, સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી,ભયી તવ ત્રાડ પ્રચંડ, રક્ષક તું રેવતા ચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન, સ્મરતા શૌર્ય નિપજે, જેહી ઉપજાવે સ્વમાન, પ્રથમ વાચને એમ લાગે કે હનુમાન ચાલીસાનું આ કોઇ નવું સંસ્કરણ છે. પણ પછી આગળ વાંચતા ભેદ ખુલ્લો થાય છે, જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા, નિશિત દંત ,નખ,ત્રાડ હી શસ્ત્રા , કરભીર ગિર અદ્રીએ શોભે, તુજ દર્શનથી ત્રિલોક થોભે. થોડા વર્ષ પહેલા આવા કુલ ચાલીસ દોહાનું બનેલું સિંહચાલીસા રચનારા સુરેન્દ્રનગરના ડૉ.નરેન્દ્ર રાવલ બનારસમાં દંડી સ્વામીશ્રી પ્રણવાનંદતિર્થજી પાસે ગયા ત્યારે એ સાંભળીને સ્વામીજીથી ઉદગાર નીકળી ગયા, 'ઇસ રચનામેં શબ્દબ્રહ્મ હૈ,.નાદબ્રહ્મ ભી હૈ.યે જરૂર ફલ દેગી.' આ સાંભળીને રચયિતા ખુદ તો ધન્ય થયા, પણ સાથે આવનાર દીવના રમેશ રાવળ તો ચોધાર આંસુએ રડી પડ્યા. આ રમેશ રાવળ કોણ છે ? એમની ઇચ્છાને વશ થઇને ભલે આ સિંહચાલીસાની રચના થઇ પણ એ આમ ભાવવિભોર થઇને રડવા શા માટે માંડે ? એવો તો કયો લગાવ એમને સિંહો સાથે ? મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રમેશચંદ્ર ભાનુશંકર રાવળ 1972માં જ્યારે ત્રેવીસ વર્ષના હતા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણતા હતા ત્યારે એકવાર શિવરાત્રીમાં જૂનાગઢ ગયા. પછી વળી સતાધાર અને પછી તુલસીશ્યામ પહોંચ્યા, એ વખતે ગીરના જંગલમાં વાયા કનકાઇ-બાણેજ એક બસ ચાલતી. બાણેજ પહોંચ્યા ત્યાં સાંજ પડી ગઇ. બસમાંથી ઉતરીને જરા પગ છૂટા કરતા હતા ત્યાં અચાનક જ સામે નજર પડી. સામે થોડા ફૂટ છેટે જ એક મોટી કેશવાળીવાળો ડાલામથ્થો આંખો ચળકાવતો અને ધીમો ધીમો ઘુરકાટ કરતો ઉભો હતો. રમેશ રાવળના હાંજા ગગડી ગયા. પણ કોણ જાણે કેમ એ ત્યાંથી ખસી ના શક્યા. બે-ચાર મિનિટ એની સામે નજર મેળવીને ઉભા રહી ગયા. ભય ધીરે ધીરે ઓસરતો ગયો, જાણે કે ઓટના કિનારાથી દૂર થતાં જતાં નીર ! સિંહ પણ ત્યાંથી ના હટ્યો. ઘૂરકાટ શમી ગયો. બેપગા અને ચોપગા વચ્ચે કોઇ અજબ તારામૈત્રક રચાયું.પરસ્પરની આંખોમાંથી પરસ્પર પ્રત્યેના ડરનો લોપ થયો.( જે રમેશ રાવળ ત્યાંથી ભાગી છૂટ્યા હોત તો ના થાત એમ જીવ માત્રની કોમન સાયકોલોજી કહે છે.) બસ, થોડી જ વાર આ સ્થિતી રહી. પછી અંધારાં ઉતર્યાં. અને બન્ને પોતપોતાના રસ્તે પડ્યા. એ દિવસથી રમેશ રાવળનો જીવનપલટો થયો. પણ સિંહજાત તરફ જાગેલા એ ભાવનો શો અર્થ ? કારણ કે એ પછી તો ગીર સાથે સંબંધ જ ના રહ્યો હોય ને ? રમેશ રાવળ ભણવામાં પડી ગયા. પણ ભણતા ભણતા મનમાં થયા કરતું હતું કે સિંહ સાથે દોસ્તી કરવી છે.એના પર કંઇક કામ કરવું છે. પણ ગીર ગયા વગર શી રીતે થાય ? જો કે 1979માં કુદરતે એમની ઝંખના પૂરી થાય તેવો યોગ સાધી આપ્યો. બી. એ; બી એડ. પૂરું કર્યા પછી એમને શિક્ષક તરીકે નોકરી દીવમાં મળી જે ગીરના પાદરમાં જ ગણાય. પણ ગીર તો નહિં જ. શું કરવું ? એમણે ગીરમાં જેમના બેસણા હોય તેવા સાધુસંતો સાથે સંબંધ રાખવા માંડ્યો.સાધુ સરસ્વતીદાસજી બાણેજમાં હતા તો મથુરાદાસબાપુ પાતળામાં વિરાજતા હતા. તુલસીશ્યામ તો ખરું જ. એવા બીજા ત્રણ ચાર થાનક. સંબંધોને લીધે મધ્ય ગીરની મૂલાકાતો વધી અને હરિ મિલે, ગોરસ બિકે, એક પંથ દો કાજ જેવું થયું. સિંહની સાવ લગોલગ જવાનું ઉપરાછાપરી બનવા માડ્યું. વિસ્મય શમતાં કુતૂહલ જાગ્યું અને એણે એમને સંશોધનની અણખૂટ કેડી પકડાવી દીધી. હવે સિંહો સાથે જાણભેદુની કક્ષાની દોસ્તી જન્મી. એમણે પહેલાં બજાજ સ્કૂટર અને પછી કાવાસાકી બજાજ મોટરસાઇકલ એવી લીધી કે ગમે તેવા દુર્ગમ અને કાંટાળા રસ્તે પણ હરેરી ના જાય. જોતજોતામાં 1980થી 1991 દરમ્યાન દોઢ લાખ કિલોમીટર ગીરમાં ને ગીરમાં જ ખેડી નાખ્યા. 1991-92માં પત્ની અને બે પુત્રો સાથે ગીરની પરકમ્મા કરવા નીકળ્યા તે કેવળ પર્યટન ખાતર નહિં,પણ સંશોધન ખાતર. 1880 થી 1990 ના એકસોદસ વર્ષો દરમ્યાન ગીરમાં કેટલા સિંહો હતા,એમની વિશિષ્ટતાઓ, ખાસીયતો,વર્તણુંકો,એમની દિનચર્યાઓ, એમની ઋતુચર્યાઓ જેવી વિગતો અનેક દસ્તાવેજો, જાણકારોની રૂબરૂ મૂલાકાતો,અને બીજા સ્રોતોમાંથી મેળવી અને તેનું એક નાનકડું પુસ્તક સિંહ જીવનદર્શન ગાંઠના ખર્ચે 1992માં પ્રગટ કર્યું. કારણકે કોઇ ધંધાદારી પ્રકાશક તો હાથ ઝાલે નહિં. જો કે પુસ્તક પ્રકાશિત થયા પછી એમની કદર થઇ. સરકાર તરફથી જુનાગઢ જિલ્લાના વાઇલ્ડ લાઇફ વૉર્ડન/ Wild life warden તરિકે એમની નિમણુંક થઇ. દૂરદર્શનના અધિકારીઓ જોવા આવ્યા તો એ લોકો એ જોઇને દંગ થઇ ગયા કે એમની નજર સામે જ રમેશ રાવળે સિંહને બોલાવવાના ખાસ અવાજો કાઢીને અગ્યાર જેટલા સિંહોને એકત્ર કરી બતાવ્યા અને તેમને લાકડીથી હાંકી બતાવ્યા. હા, રમેશ રાવળ સિંહોની અલગ અલગ ભાવો, જરૂરત અને વૃત્તિઓની અભિવ્યક્તિના અવાજો કાઢી શકે છે, એમના રૂદનનો પણ! આ વસ્તુ એમને એમની સાથેની વિશ્વસનિયતા પેદા કરી આપવામાં કામ આવી છે . તળપદી અને સાદી ભાષામાં એમ કહી શકાય કે સિંહને હેળવવામાં આ વસ્તુ એટલી તો કારગર નીવડી કે આમ તો દીવ શહેર જેવી માનવવસ્તીમાં સિંહ આવે જ નહિં, પણ એકવાર ગીરથી પાછા ફરતીવેળા એક સિંહણ રમેશભાઇની પાછળ પાછળ ચાલી આવેલી, અને ખળભળાટ મચી ગયેલો. રમેશભાઇ જ એને સિફતથી પાછી મૂકી આવેલા. ગીરમાં બે જાતના સિંહ છે એવું રમેશ ભાઈ રાવળ એ સિંહ જીવન દર્શન બુક મા નોંધેલું છે. એક ગધીયો અને બીજો વેલર. બન્નેના શારિરીક લક્ષણો, અને આંતરિક સૂઝ વગેરેમાં ઘણો તફાવત છે. જંગલમા તમે બંદૂક ફોડો ત્યારે જો ગધીયો હોય તો નાસી જાય પણ વેલર હોય તે પાછો વળીને ઊભો રહે. ( ઝૂમાં જોવા મળતા આફ્રિકન સિંહ/African Lion ની ઓળખ જ જૂદી છે.તેઓ અમારા એટલે કે ગીરના સિંહ/Gir Lion કરતાં વધારે કદાવર હોય છે.) વેલર વધુ લાંબો હોય છે. એના કાન લાંબા હોય છે. ગધીયો જરા જાડો અને ગોળમટોળ હોય છે... સિંહ વિષેની ઘણી ગેરમાન્યતાઓ –લોક્માન્યતાઓ એમના સંશોધનોને કારણે દૂર થઇ.રોજેરોજ સિંહને મારણ જોઇએ એ રૂઢ માન્યતા ખોટી છે. એને બે-ત્રણ દિવસે એકવાર ખોરાક જોઇએ. એક ભેંસ હોય તો એને ત્રણ દિવસ ચાલે. ભૂખ્યો હોય કે ના હોય પણ એ માણસને ભાગ્યે જ મારે છે.અખબારોમાં ઘણીવાર એવા સમાચારો આવે છે તે મોટે ભાગે વાઘ કે દીપડાનો ભોગ બનેલાના હોય છે, જે સિંહના નામે ચડાવી દેવામાં આવે છે. સિંહની પોતાની આયુષ્ય પંદરથી વીસ વર્ષની. જો કે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એક સિંહણની મરણ વખતની વય સત્તાવીસ વર્ષની નોંધાયેલી. સિંહણ સાડાત્રણ ચાર વર્ષની વયે માતૃત્વ ધારણ કરવા સક્ષમ બને અને ક્ષમતા પ્રમાણે બેથી માંડીને ચાર સુધી વેતર કરે (ગર્ભાધાન કરે) એ એક સાથે ત્રણ કે ચાર બચ્ચાને જન્મ આપે છે. ભૂરી નામની એક સિંહણે 1974માં એક સાથે પાંચ બચ્ચાંને જન્મ આપેલો. સિંહના વાળ ઉમર વધતા ધોળા નહિં, પણ કાળા થાય છે. કોઇ પણ સિંહની ઉમર રમેશ રાવળ તરત જ કહી શકે. શી રીતે? એની હુંકની(એના મોંમાંથી નીકળતા અવાજની) ફ્રિક્વન્સી પરથી એ કહી શકે છે.પંદર વર્ષનો સિંહ હોય તો એની હુંક એકત્રીસ-બત્રીસ જેટલી થાય એ એમણે અનૂભવે તારવ્યું છે. વાઘની બોડ હોય, દીપડાની ,જરખની અરે શિયાળીયાની પણ ગૂફા હોય, પણ સિંહોની ગૂફા નથી હોતી. એનું રહેઠાણ કરમદાના ઢૂવામાં હોય. એને નદીનો કિનારો પસંદ છે. ઠંડક હોય, ઉપર વૃક્ષની છાયા હોય અને નીચે રેતી હોય. સિંહને જોવા માટે ઉત્તમ સમય એપ્રિલ-મેનો છે. ચોમાસાનો નહિં. ચોમાસામાં સિંહ રસ્તા ઉપર આવી જવાનું વલણ ધરાવે છે. કારણ કે જંગલમાં એને મચ્છરો બહુ સતાવે છે. સિંહને કુદરતી મોત પણ આવે અને રોગને કારણે પણ મરી શકે છે. વાયરસ લાગુ પડી શકે અને હડકવા પણ લાગુ પડે. વાયરસને કારણે ઘણા સિંહો 1993માં મરી ગયા.ક્યારેક વન વિસ્તારના ખુલ્લા કૂવાઓમાં અકસ્માતે પડી જવાને કારણે પણ અને છેલ્લે તદ્દન ગેરકાયદે એવા શિકારને કારણે પણ સિંહોની વસ્તી ઘટતી ચાલી છે, વન્ય જીવન સુરક્ષા કાયદો (1972) / Wild Life Protection Act (1972) અસ્તિત્વમાં છે તો પણ ! પૂરા ગીરનો સરકાર દ્વારા રક્ષિત જાહેર કરાયેલો વિસ્તાર હવે માત્ર 1412 ચોરસ કિલોમીટરનો જ રહ્યો છે.જે પૂરો રમેશ રાવળે પગ તળે કાઢી નાખ્યો છે. 20મી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબે આ વિસ્તારમા સિંહોની શિકારબંધી ફરમાવી અને 1965 માં સરકારે તેને અભયારણ્યનો દરજ્જો આપયો ❆ ➯ સિંહ દિવસ ઉજવણી સૂત્રો : ❆ 🦁 ગુજરાતનું ગૌરવ આપણો સિંહ આપણો સિંહ 🦁 ગીરની આન બાન શાન આપણો સાવજ આપણો સાવજ 🦁 ગલી ગલી મેં ગુંજે નાદ ગીરનો સાવજ જીંદાબાદ 🦁 શેરીએ શેરીએ એક જ નારો ગીરનું ગૌરવ સાવજ અમારો 🦁 સિંહ દિવસની એક જ વાત વનરાજ બચાવો એક જ વાત 🦁 જય જય ગરવી ગુજરાત સિંહ બચાવો એક જ વાત 🦁 ગીર જંગલ છે આપણી શાન કરો હેતથી સિંહને સલામ 🦁 વિશ્વ સિંહ દિવસના નારા 🦁 રાત દિવસ બસ એક જ વાત સિંહ છે આપણી સોગાત 🦁 કોનો છે આ જય જયકાર સિંહ છે ગીરનો તારણહાર 🦁 આઠે પહોરને આખું સાલ ચાલો કરીએ સિંહને વ્હાલ 🦁 જંગલનો છે જે સરતાજ કંઈક કરીએ એને કાજ 🦁 ડણકુ એની લાગે પ્યારી એ સાવજ ની છે બલીહારી 🦁 સાવજ છે આપણું સન્માન સિંહ છે આપણો મહાન 🦁 આપે છે સૌ સિંહને માન સિંહ છે ભારતની શાન ➯ wel_come
❆ ➯ વર્ષ દરમિયાન આવતા મહત્વના દિવસોની યાદી જોવા માટે ❀ Click here
🎯 વર્ષ દરમિયાન આવતા મહત્વના દિવસોની યાદી જોવા માટે:⤵️ 🎯
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....