❆ QUARTERLY TEST PAPER 2025-26 ❆
❀ 👉 અહીં સરકારશ્રી દ્વારા લેવામાં આવતી ત્રિમાસિક કસોટીના પેપર કસોટી પૂર્ણ થયા બાદ મુકવામાં આવશે.

❆ ત્રિમાસિક કસોટી પેપર Year-2025-26 ❆
❆ ➯ QUARTERLY TEST PAPER Releted Web Site Click Here
🎯 QUARTERLY TEST PAPER RELATED WEB SITE ⤵️ 🎯
❆ ➯ ત્રિમાસિક કસોટી પેપર Introduction and Letter -2025-26 Click here
❆ ત્રિમાસિક કસોટી સમય પત્રક Letter ❆
🔶 ➯ ત્રિમાસિક કસોટી પેપર-2025-26 ગુણ સ્લીપ - પરિપત્રો : 🔶 ❆ 📚 ત્રિમાસિક કસોટી સંદર્ભે 📚 ❆
❆ પ્રથમ અને દ્વિતીય સત્ર ત્રિમાસિક કસોટી અને પ્રથમ અને દ્વિતીય સત્ર સત્રાંત કસોટીનો કાર્યક્રમ વર્ષ 20225-26 પરિપત્ર અંતર્ગત જે બદલાવ થયો તેની માહિતી : 👉 ત્રિમાસિક કસોટી*: ખાસ વાંચન કરવું. ✡️ કસોટી નો સમય : 18 ઓગસ્ટથી 30 ઓગસ્ટ ✡️ કસોટીનો અભ્યાસક્રમ : 15 ઓગસ્ટ સુધી જીસીઈઆરટી નું માસવાર આયોજન મુજબ ✡️ ત્રિમાસિક કસોટી શિક્ષકે પોતાની અનુકૂળતા મુજબ તૈયાર કરવાની રહેશે તેમજ પ્રશ્નબેંક જીસીઇઆરટી દ્વારા ઓનલાઇન એટેન્ડન્સ પોર્ટલ તેમજ ઈ મેઇલ ઉપર 18 તારીખે મળશે. ✡️ કસોટી ગુણભાર : ધોરણ ત્રણ થી આઠ માટે 40 ગુણ તમામ વિષય માટે 👉 પ્રથમ સત્રાંત પરીક્ષા : ✡️ અભ્યાસક્રમ : જૂનથી ઓક્ટોબર ✡️ પરીક્ષાનો સમય : ૬/૧૦/૨૫ થી ૧૪/૧૦/૨૫ ✡️ પરીક્ષા ડાયટ દ્વારા જીસીઈઆરટી ના બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવશે ✡️ પરીક્ષા ગુણભાર : ધોરણ ત્રણ થી પાંચ 40 ગુણ તેમજ ધોરણ છ થી આઠમાં 80 ગુણ 👉 ઉપરોક્ત મુદ્દા મહત્વના છે : 1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે. 2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શક્શે. 3) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. 4) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે. 5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે. 6) સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જીસીઈઆરટી દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે. 7) ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાબેતા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal પર તા.૧૮/૦૮/૨૦૨૫ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 8) શિક્ષક સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જીસીઈઆરટીની વેબસાઈટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેંક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શક્શે. 9) સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઈલે રાખવાના રહેશે. 10) આ કસોટી સમગ્રશિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે. કસોટી ચેક થઈ ગયા બાદ, વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે. 11) સદર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન (પત્રક-A) ના ભાગરૂપે સત્રાંત/વાર્ષિક પરિણામપત્રકમાં ગણવાના રહેશે. 12) દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્નબેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે. ________________________________________ 👉 ત્રિમાસિક કસોટી સંદર્ભે અમુક સ્પષ્ટતાઓ જે જરૂર છે એ લખુ છુ.. 1. હાલ એકમ કસોટીની ઓનલાઇન એન્ટ્રી કરવાની નથી એ મુજબ જ આયોજન કરવું. 2. કેટલી અઘ્યયન નિષ્પત્તિઓ લેવી એનો કોઈ ફિક્સ આકડો નથી. 3. નિબંધાત્મક ટૂંક જવાબી અને હેતુલક્ષી એમ વિવિધ પ્રકારના પ્રશ્નો લેવા. 40 માર્ક્સની મર્યાદામાં આ પ્રકારના પ્રશ્નો લેતા જેટલી નિષ્પત્તિઓ જરૂર પડે એટલી જ લેવી. બિનજરૂરી વધારે નિષ્પત્તિઓ સમાવવા પ્રયત્ન ન કરવો 4. એક પ્રશ્નમાં એક કરતા વધારે નિષ્પત્તિ લઇ શકાશે 5. જ્ઞાન સમાજ ઉપયોજન અને કૌશલ્યના પ્રશ્નોનો સમાવેશ કરવા શક્યતઃ પ્રયત્ન કરવો 6. આ વાર શિક્ષકને કસોટી બનાવવા સંપૂર્ણ સ્વાયતતા આપેલ છે તો આપણી વિવેકબુદ્ધિ અનુસાર કસોટી કાઢવી________________________________________ ❆ 📚 ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન: બાળકોનું ભણતર બનશે વધુ સરળ- સંદર્ભે 📚 ❆
❆ 👉 ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન: બાળકોનું ભણતર બનશે વધુ સરળ : ગુજરાતની ધો. ૧ થી ૮ની તમામ શાળામાં ૩૬૦ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય **** • માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે – એકમ કસોટીના સ્વરૂપમાં બદલાવ • વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશે • શિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મુકાશે • માર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો ત્રિ-આયામી વિકાસ થશે • ગુજરાતની આ પહેલ “જેવું શિક્ષણ, તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિત **** 👉 શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે હેતુથી ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું- શાળા શિક્ષણના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 👉 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યની ધો. ૧ થી ૮ તમામ શાળાઓમાં આ માળખાનો અમલ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણવિદ ડો. જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષણ નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સોંપ્યો હતો. તેને આધારે હવે રાજ્યમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો ચાલુ વર્ષથી અમલ થશે. આ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તન, સહયોગ અને અભિગમનું મૂલ્યાંકન કરીને શિક્ષણને વધુ સમાવેશી અને વ્યાપક બનાવશે. 👉 આ નવી પદ્ધતિ પરંપરાગત માર્ક્સ આધારિત મૂલ્યાંકનથી થોડી અલગ છે. હવે વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ બોધાત્મક (Cognitive), ભાવનાત્મક (Affective) અને મનોગામિક (Psychomotor) ક્ષેત્રોમાં પણ સર્વાંગી વિકાસનું મુલ્યાંકન કરવામાં આવશે. શિક્ષક, સહપાઠી, વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC તૈયાર કરાશે, જે માત્ર પરિણામ નહીં, પણ વિદ્યાર્થીની પ્રગતિનું દર્પણ બનશે. શિક્ષકોને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. 👉 નવી મૂલ્યાંકન પદ્ધતિનો મુખ્ય હેતુ મૂલ્યાંકન શીખવાના એક સાધન તરીકે પ્રયોજાય તેવો છે એટલે કે, માત્ર પરીક્ષાની તૈયારી નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્યને વિકસાવવાનું પ્રોત્સાહન. આ અભિગમથી વિદ્યાર્થીઓમાં જવાબદારી, સ્વજાગૃતિ અને સતત સુધારા તરફનો અભિગમ વિકસશે. 👉 આ નવા માળખામાં શિક્ષકોના ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવા અને વિદ્યાર્થીઓ પર વારંવારની લેખિત કસોટીઓનો બોજ હળવો કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એકમ કસોટીનું સ્વરૂપ બદલીને તેને વધુ સરળ, ઉપયોગી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવાઈ છે. તો ચાલો સમજીયે આ નવા શૈક્ષણિક માળખાને. ________________________________________ 👉 ૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલ્પના : 👉 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો અર્થ માત્ર શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન કરવાનો નથી, આનો અર્થ ઘણો વ્યાપક છે. આમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવશે, જેમાં બોધાત્મક (Cognitive-જ્ઞાનાત્મક), ભાવનાત્મક (affective), અને મનોગામિક (Psychomotor) જેવા પાસાઓ સમાવિષ્ટ છે. 👉 શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી — પ્રગતિનું સર્વાંગી પ્રતિબિંબ 👉 શિક્ષક દ્વારા મૂલ્યાંકન: શિક્ષક વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન, વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગીદારી, શીખવાની રીત અને વર્તનનું અવલોકન કરીને મૂલ્યાંકન કરશે. 👉 સહપાઠી દ્વારા મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ એકબીજાના પ્રદર્શન, સહકારયુક્ત વર્તન અને ટીમ વર્કમાં ભાગીદારીનું મૂલ્યાંકન કરે છે. આનાથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના અને પરસ્પર સમજણ વધશે. 👉 વાલીઓ દ્વારા મૂલ્યાંકન: ઘરે વિદ્યાર્થીના વાલી ભણાવવાના વાતાવરણ, રસ, શોખ અને વર્તન વિશે પ્રતિસાદ આપશે, જે શાળાને વિદ્યાર્થીના સર્વગ્રાહી વ્યક્તિત્વને સમજવામાં મદદ કરશે. 👉 સ્વ-મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના પ્રદર્શન, શક્તિઓ અને સુધારા માટેનાં ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે. વિદ્યાર્થીના સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસ માટે આ ખૂબ જ અગત્યનું છે. 👉 હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડથી સર્જનાત્મકતા, જવાબદારી અને આત્મવિશ્વાસનું સંવર્ધન થશે 👉 હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC): આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે. આ પ્રક્રિયા ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે. 👉 ગુજરાતની આ પહેલ “જેવું શિક્ષણ, તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિત છે. આ અભિગમથી બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સતત પ્રગતિની ભાવના વિકસશે, જે ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડશે. આ પરિવર્તનથી શિક્ષણ પ્રણાલી વધુ સમાવેશી અને વ્યાપક બનશે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે. 👉 ગુજરાતમાં આ માળખું અમલમાં મૂકવા માટે શિક્ષણ વિભાગ, શિક્ષક સંઘો, તજજ્ઞો અને સામાજિક સંસ્થાઓ સાથે પરામર્શ કરીને વર્તમાન પડકારોને નિવારવાનો પ્રયાસ કરાયો છે. NCERT અને PARAKH દ્વારા તૈયાર કરાયેલ સર્વાંગી વિકાસ પત્રકને આધારે સમિતિએ ગુજરાત રાજ્યની આવશ્યકતા અનુસારનું તૈયાર કરેલ પત્રક ગુજરાતની શાળાઓમાં અપનાવવામાં આવશે, જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સક્રિય સંવાદને પ્રોત્સાહન આપશે. 👉 અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ CBSE શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયો માટે આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનને અમલમાં મૂકવા માટે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવાયેલ એક સંસ્થા PARAKH દ્વારા નવું મૂલ્યાંકન માળખું અને સર્વાંગી પ્રગતિ પત્રક (HPC) તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ NCERT દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ સમિતિએ ગુજરાત માટેનું સર્વાંગી વિકાસ પત્રક તૈયાર કર્યું છે.________________________________________
❆ ➯ ત્રિમાસિક કસોટી પેપર ધોરણ ૩ થી ૫ Semester 1 Click here
❆ ત્રિમાસિક કસોટી ટેસ્ટ પેપર 3 to 5 Semester 1❆
❆ ➯ ત્રિમાસિક કસોટી પેપર For STD_6 to 8 Semester 1 Click here
🔶 ત્રિમાસિક કસોટી પેપર For STD_6 to 8 Semester_1 🔶
❆ ➯ Quarterly Test Papers std 3 to 5 semester 2 by GCERT Click here
❆ ➯ All Quarterly Test Papers For STD_6 to 8 Semester 2 by GCERT Click here
❆ ➯ More...
❆ ➯ This section is working mode ....
